વિચારોના વૃંદાવનમાં: શરીરને ન સમજે તે બીજાને શું સમજે: ટૂંકસાર
વિચારોના વૃંદાવનમાં: શરીરને ન સમજે તે બીજાને શું સમજે: ટૂંકસાર
Published on: 08th February, 2026

એક જમાનામાં ચીનના લોકો માંદા પડનારને સજા કરતા. શરીરને પોટલું સમજીને બેસાડી રાખવું પડે છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સાધના કરે તેને બેઠાડુપણું કહેવાય. ડોક્ટરોની કમાણી પર પ્રહાર કરનારો પ્રશ્ન છે કે ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? ‘Viral Infection’ એ મોકલનારના સરનામા વગરનું વી.પી. પાર્સલ છે. તંબાકુ ખાનારને સફરજન મોંઘું પડે છે. માંદગીને ખાટલે વેડફાઈ ગયેલું જીવન પડેલું હોય છે. Love Therapy માટે હોસ્પિટલ જવું ન પડે.