ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
ભારત-કોરીયા વેપાર: 2030 સુધીમાં 50 Billion Dollar સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક.
Published on: 21st April, 2026

દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગના ભારતના પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં 2030 સુધીમાં ભારત અને કોરિયા વચ્ચેનો કારોબાર 50 Billion Dollar સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. બંને દેશો ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનમાં સહયોગ વધારશે, ભારતમાં કોરીયન ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપની સ્થાપના કરાશે તેમજ AI, સેમીકંડક્ટર અને ITમાં ભાગીદારી કરશે. હાલમાં આ કારોબાર 27 Billion Dollarનો છે.