કુમકુમ લંડનમાં સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાનો શણગાર
કુમકુમ લંડનમાં સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાનો શણગાર
Published on: 17th August, 2026

લંડનના કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં 15મી ઓગસ્ટના રોજ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાના ભવ્ય શણગાર કરવામાં આવ્યા અને તિરંગાના હિંડોળામાં તેમને ઝુલાવવામાં આવ્યા. યુરોપમાં ભારતીય યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ જગાવવાના હેતુથી આ આયોજન કરાયું. સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું કે દેશ માટે જીવવું અને તેની આન-બાન-શાન વધારવી એ જ સાચા યુવાનની ઓળખ છે. સાચી આઝાદી ત્યારે જ મળશે જ્યારે આપણે આપણા મન પર કાબુ મેળવીશું.