નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો, 962થી વધુ મોત
નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો, 962થી વધુ મોત
Published on: 01st September, 2026

નેપાળ-ચીન સરહદ નજીક ગ્લેશિયર તૂટવાથી આવેલી કુદરતી હોનારતે નેપાળ અને તિબ્બતમાં ભારે તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂરે અને ભેખડો ધસી પડવાને કારણે અનેક ગામડાઓ અને શહેરોમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 960થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 4400થી વધુ લોકો ગુમ છે. સાત દિવસ બાદ હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં મહામારી ફેલાવાનો મોટો ખતરો ઉભો થયો છે, કારણ કે કાટમાળ નીચે દબાયેલા મૃતદેહો સડવા લાગ્યા છે. બચાવકર્મીઓ રાહત અને સફાઈની બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે.