22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Published on: 21st August, 2026

યમન અને સોમાલિયાના દરિયાકાંઠે બે અલગ અલગ ઘટનાઓમાં, ચાંચિયાઓએ ૨૨ ભારતીયો સહિતના ક્રૂ ધરાવતા બે વ્યાપારી જહાજોનું અપહરણ કર્યું છે. યમન નજીક એમ.ટી. સિબુ 1 નામના તેલ ટેન્કરનું અપહરણ થયું, જેમાં ૧૬ ભારતીયો સહિત ૨૦ ક્રૂ સભ્યો હતા. તમામ સુરક્ષિત હોવાનું મનાય છે. બીજી ઘટનામાં, સોમાલિયા પાસે M/V LUTUF જહાજ અપહરણ થયું, જેમાં ૬ ભારતીયો સહિત ૧૦ ક્રૂ હતા. આ ઘટનાઓ હોર્ન ઓફ આફ્રિકાના દરિયામાં ચાંચિયાગીરીના વધતા ખતરાને દર્શાવે છે.