ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાથણી 'જોયમોતી'નું જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ
ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાથણી 'જોયમોતી'નું જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ
Published on: 21st August, 2026

જુલાઈ મહિનામાં આસામના વિનાશક પૂરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી 53 વર્ષીય હાથણી 'જોયમોતી'ને તાત્કાલિક અને અત્યાધુનિક તબીબી સારવાર માટે ભારતમાં પ્રથમ વખત હવાઈ માર્ગે જામનગર સ્થિત 'વનતારા' ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. રિલાયન્સ દ્વારા સ્થાપિત 'વનતારા'માં તેના કપાળ, આંખ, પૂંછડી અને જાંઘ પર થયેલી ગંભીર ઈજાઓની નિષ્ણાત સારવાર અપાશે. આ પ્રશંસનીય પગલું વન્યજીવ કલ્યાણ અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.