કીવ પર રશિયાનો છઠ્ઠા દિવસનો હુમલો
કીવ પર રશિયાનો છઠ્ઠા દિવસનો હુમલો
Published on: 02nd September, 2026

યુક્રેનની રાજધાની કીવ પર રશિયા દ્વારા સતત છઠ્ઠા દિવસે બોંબમારો કરવામાં આવ્યો છે, જેમાં એક ભારતીય સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે. આ ૧૨ કલાક સુધી ચાલેલા હવાઇ હુમલામાં આઠ અલગ અલગ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતાં, જેમાં બે રહેણાંક ઇમારતોને નુકસાન થયું અને એક ટેક્સટાઇલ ફેક્ટરીમાં આગ લાગી. આ હુમલાઓનો ઉદ્દેશ લોકોને ડરાવવાનો અને સામાન્ય જીવનમાં અવરોધ ઉભો કરવાનો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ ઘટનામાં એક ભારતીયના મૃત્યુની પુષ્ટિ કરી છે.