ટ્રોયનું યુદ્ધ: પ્રેમ, અહંકાર અને સામ્રાજ્યના વિનાશની ગાથા
ટ્રોયનું યુદ્ધ: પ્રેમ, અહંકાર અને સામ્રાજ્યના વિનાશની ગાથા
Published on: 02nd September, 2026

ટ્રોયનું યુદ્ધ, પ્રેમ, અહંકાર અને અજેય સામ્રાજ્યના મહાવિનાશની એક કથા છે. આ યુદ્ધ હોમરના મહાકાવ્યો `ઇલિયાડ' અને `ઓડિસી'માં વર્ણવેલું છે. `ઇલિયાડ'માં યુદ્ધના અંતિમ વર્ષ, એકિલિસ અને હેક્ટરના દ્વંદ્વયુદ્ધ અને શહેરના વિનાશનું વર્ણન છે. `ઓડિસી'માં ઓડિસિયસના સાહસો વર્ણવેલા છે. 19મી સદીમાં પુરાતત્ત્વવિદ હેનરિક શ્લીમેને ટ્રોય શહેરના અવશેષો શોધીને તેના અસ્તિત્વની પુષ્ટિ કરી. યુદ્ધનું મુખ્ય કારણ હેલનનું અપહરણ હતું, પરંતુ વેપારી માર્ગ પર વર્ચસ્વ પણ એક કારણ હતું.