આડેધડ ખોદકામ:રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો, તાત્કાલિક કાર્યવાહીની માંગ.
આડેધડ ખોદકામ:રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો, તાત્કાલિક કાર્યવાહીની માંગ.
Published on: 17th May, 2026

મહેસાણાના સાંઇબાબા મંદિર નજીક રૂષિનગર-શ્રીગણેશ સોસાયટી રોડ છેલ્લા 10 દિવસથી પાઇપલાઇનના કામને લીધે ખોદેલો પડ્યો છે. આડેધડ ખોદકામથી રસ્તાની સ્થિતિ બિસ્માર બનતાં રોજિંદી અવર-જવરમાં લોકોને ભારે હાલાકી, ટુ-વ્હિલર ચાલકો માટે જોખમ અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક દર્દીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં ભારે મુશ્કેલી પડી હતી. કામગીરીની ધીમી ગતિથી સ્થાનિકોમાં રોષ છે.