અમેરિકાની ધમકી પર PM મોદીનું મૌન, રાહુલ ગાંધીનો વિદેશ નીતિ પર સણસણતો પ્રહાર
અમેરિકાની ધમકી પર PM મોદીનું મૌન, રાહુલ ગાંધીનો વિદેશ નીતિ પર સણસણતો પ્રહાર
Published on: 14th June, 2026

ઓમાન દરિયા નજીક અમેરિકી કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત અને હોર્મુઝ જળમાર્ગ મુદ્દે રાહુલ ગાંધીએ PM મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે પૂછ્યું કે અમેરિકાની ધમકી છતાં PM મોદી કેમ મૌન છે. તેમણે આરોપ લગાવ્યો કે કોઈપણ સાર્વભૌમ દેશ આવી ભાષા સ્વીકારી ન શકે. આ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરની વાતચીત બાદ આવી, જેમાં અમેરિકાએ હોર્મુઝમાં પોતાના નિર્દેશોનું પાલન કરવા ભાર મૂક્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદી આજ્ઞાકારી સેવકની જેમ આદેશો સાંભળે છે અને દેશના સન્માનની રક્ષા કરી શકતા નથી.