જયેશ રાદડિયાનું જેતલસર જંકશન પ્રશ્ન ઉકેલવા અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની ચીમકી
જયેશ રાદડિયાનું જેતલસર જંકશન પ્રશ્ન ઉકેલવા અલ્ટીમેટમ, રેલ રોકો આંદોલનની ચીમકી
Published on: 14th June, 2026

રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી રાજકીય ગરમાવો પકડ્યો છે. લોબી, બ્રેકડાઉન જેવી કામગીરી અન્યત્ર ખસેડવા અને 72 કર્મચારીઓની બદલીના નિર્ણયથી સ્થાનિકોમાં ભારે રોષ છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ રેલવેના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરી 10 દિવસમાં ઉકેલ ન આવ્યે ટ્રેન રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ બદલીઓથી વિસ્તારની આર્થિક-સામાજિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે. રાદડિયાએ જેતલસર જંકશનનું મહત્વ ઘટાડવાના પ્રયાસો સ્વીકાર નહીં કરવાની અને સ્ટાફ ફરીથી ત્યાં જ મુકવાની માંગ કરી છે.