પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી બ્લાસ્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી બ્લાસ્ટ
Published on: 18th September, 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કોહાટ પોલીસ લાઈન પાસે શુક્રવારની નમાજ દરમિયાન થયેલા ભયાનક આત્મઘાતી બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટક ભરેલી કાર જૂની પોલીસ લાઈન્સના ગેટ સાથે અથડાઈ હતી, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મસ્જિદને ભારે નુકસાન થયું છે અને એક દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.