ભારતના પાડોશી દેશમાં ફરી ભયંકર હિંસા, 3 લોકોના મોત
ભારતના પાડોશી દેશમાં ફરી ભયંકર હિંસા, 3 લોકોના મોત
Published on: 31st July, 2026

નેપાળના દક્ષિણ તેરાઈ વિસ્તારમાં બે ધાર્મિક સમુદાયો વચ્ચે થયેલા ઝઘડા બાદ સ્થિતિ વણસી છે. સપ્તારી, સુનસારી, ધાનુષા અને સિરાહા જિલ્લામાં અચોક્કસ મુદતનો કરફ્યુ લાદી દેવાયો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. કેપ્ટનગંજ વિસ્તારમાં ઉત્સવ દરમિયાન બોલાચાલી હિંસક બનતા શોપિંગ મોલમાં આગચંપી પણ થઈ હતી. PM બાલેન શાહે શાંતિની અપીલ કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.