
ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો
Published on: 15th June, 2025
ઇરાન સાથે ઇઝરાયલની પરિસ્થિતિ હવે, માત્ર તંગદિલી ભરી જ ન રહેતાં સ્ફોટક બની ગઇ છે, તે વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધ્યો હતો. તેઓના ફોન વિશે મોદીએ સોશ્યલ મીડીયા ઉપર સત્યતા જણાવી હતી. તેઓએ લખ્યું : 'ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મારો ફોન પર સંપર્ક સાધ્યો હતો, અને ઇરાન-ઇઝરાયલ વચ્ચેની તંગદિલી વિશે વાત પણ કરી હતી. મેં આ અંગે ભારતની ચિંતા દર્શાવી હતી અને સાથે તે વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી આશા વ્યક્ત કરી હતી.
ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો

ઇરાન સાથે ઇઝરાયલની પરિસ્થિતિ હવે, માત્ર તંગદિલી ભરી જ ન રહેતાં સ્ફોટક બની ગઇ છે, તે વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધ્યો હતો. તેઓના ફોન વિશે મોદીએ સોશ્યલ મીડીયા ઉપર સત્યતા જણાવી હતી. તેઓએ લખ્યું : 'ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મારો ફોન પર સંપર્ક સાધ્યો હતો, અને ઇરાન-ઇઝરાયલ વચ્ચેની તંગદિલી વિશે વાત પણ કરી હતી. મેં આ અંગે ભારતની ચિંતા દર્શાવી હતી અને સાથે તે વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી આશા વ્યક્ત કરી હતી.
Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર