Menu
ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો
ઇરાન સાથેની 'સ્ફોટક' પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન દ્વારા સંપર્ક સાધ્યો
Published on: 15th June, 2025

ઇરાન સાથે ઇઝરાયલની પરિસ્થિતિ હવે, માત્ર તંગદિલી ભરી જ ન રહેતાં સ્ફોટક બની ગઇ છે, તે વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક સાધ્યો હતો. તેઓના ફોન વિશે મોદીએ સોશ્યલ મીડીયા ઉપર સત્યતા જણાવી હતી. તેઓએ લખ્યું : 'ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મારો ફોન પર સંપર્ક સાધ્યો હતો, અને ઇરાન-ઇઝરાયલ વચ્ચેની તંગદિલી વિશે વાત પણ કરી હતી. મેં આ અંગે ભારતની ચિંતા દર્શાવી હતી અને સાથે તે વિસ્તારમાં વહેલામાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી આશા વ્યક્ત કરી હતી.