નેપાળમાં કોમી હિંસા ભડકી!
નેપાળમાં કોમી હિંસા ભડકી!
Published on: 30th July, 2026

નેપાળના સિરાહા અને સુનસરી જિલ્લાઓમાં બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી કોમી હિંસા બાદ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પરિસ્થિતિ વણસતા સિરાહા જિલ્લામાં તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદત માટે કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ બંને જિલ્લાઓ ભારતના બિહાર રાજ્યની સરહદે આવેલા હોવાથી ખાસ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. 26 જુલાઈના રોજ ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ઘટના બાદ આ વિવાદ શરૂ થયો હોવાનું જાણવા મળે છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.