ભારતીય ક્રૂ સવાર જહાજો પર હુમલા, વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતને બીજી વખત બોલાવ્યા
ભારતીય ક્રૂ સવાર જહાજો પર હુમલા, વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂતને બીજી વખત બોલાવ્યા
Published on: 12th June, 2026

મધ્ય પૂર્વ અને ઓમાનના સમુદ્રકાંઠે ભારતીય ક્રૂ સવાર જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓથી ભારત નારાજ છે. ઓમાન નજીક વધુ એક ભારતીય જહાજ પર હુમલો થતાં ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ Jason Meeks ને બીજી વખત સમન્સ પાઠવી કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હોવાનું જણાવી, આ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ક્ષેત્રમાં ભારતીય ક્રૂ સવાર જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે.