પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને GDP વૃદ્ધિના આંકડાઓ પર વ્યક્ત કરી શંકા
પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને GDP વૃદ્ધિના આંકડાઓ પર વ્યક્ત કરી શંકા
Published on: 12th June, 2026

પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને ભારતના GDP ગ્રોથના તાજેતરના આંકડાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા વૃદ્ધિ દર અને વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત છે. કંપનીઓ દ્વારા કોર્પોરેટ રોકાણમાં વૃદ્ધિનો અભાવ, આ આંકડાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ સર્જે છે. જો અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોય, તો રોકાણ વધવું જોઈએ. તેમણે એ પણ નોંધ્યું કે વિદેશી રોકાણકારો (FII) પણ ભારતમાં રોકાણ કરવામાં સાવચેતી રાખી રહ્યા છે, જે આર્થિક વિકાસના સત્તાવાર દાવાઓ સામે શંકા વધારે છે.