ટ્રમ્પને ઇરાનના હુમલાનો ડર બતાવી ઇઝરાયેલે શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી
ટ્રમ્પને ઇરાનના હુમલાનો ડર બતાવી ઇઝરાયેલે શાંતિમંત્રણા પાટા પરથી ઉતારી
Published on: 14th August, 2026

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની સરકારે CIA ને અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પર ઇરાનના હત્યાના કાવતરા અંગે ખોટો અહેવાલ આપ્યો હોવાનું મનાય છે. આ પગલાંનો હેતુ અમેરિકા-ઇરાન મંત્રણાને પાટા પરથી ઉતારવાનો, ટ્રમ્પની ઇરાન નીતિઓ પર અસર પાડવાનો અને તુર્કી સાથેના તેમના સંબંધોને નુકસાન પહોંચાડવાનો હતો. CIAના નિષ્ણાતોને આ જાણકારી વિશ્વસનીય ન લાગતા તેમણે ટ્રમ્પ તંત્રને જાણ કરી. અમેરિકન અધિકારીઓ માને છે કે ઇઝરાયેલ ટ્રમ્પને ઇરાન સામે કાર્યવાહી કરવા પ્રેરિત કરવા માંગતું હતું. તુર્કી અધિકારીઓ માને છે કે આ રિપોર્ટ ટ્રમ્પની ઇરાન સાથેની મંત્રણાને અવરોધવા અને તુર્કીને F-35 વિમાન ન મળે તે માટે તૈયાર કરાયો હતો.