52,000થી વધુ ભારતીયો ખાડી દેશોમાંથી પરત ફર્યા
52,000થી વધુ ભારતીયો ખાડી દેશોમાંથી પરત ફર્યા
Published on: 08th March, 2026

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયે (MEA) જણાવ્યું કે ૧ થી ૭ માર્ચ દરમિયાન ૫૨,૦૦૦થી વધુ ભારતીયો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. સરકાર ૨૪×૭ હેલ્પલાઇન અને સ્પેશિયલ ફ્લાઇટ્સ દ્વારા ફસાયેલા નાગરિકોને મદદ કરી રહી છે. ઈરાનમાં ૧૦,૦૦૦ અને ઈઝરાયેલમાં ૪૧,૦૦૦થી વધુ ભારતીયોની સુરક્ષા માટે દૂતાવાસે ખાસ એડવાઇઝરી જારી કરી બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપી છે.