અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ
અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ
Published on: 12th April, 2026

ભારતે ચીનના એ પ્રયાસોને કડક તમાચો માર્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે કે આ પ્રકારની હરકતો ભ્રામક અને નિરર્થક છે અને ભારત તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. મંત્રાલય મુજબ ચીન તરફથી લેવામાં આવેલું આ પગલું ખોટું અને પાયાવિહોણું છે. અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે.