નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારની સત્તા 'સમ્રાટ'ના હાથમાં.
નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, હવે બિહારની સત્તા 'સમ્રાટ'ના હાથમાં.
Published on: 14th April, 2026

બિહારના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. નીતિશ કુમારના રાજીનામા બાદ ભાજપના નેતૃત્વવાળી સરકાર માટે રસ્તો ખુલ્લી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બિહારની સત્તા સમ્રાટ ચૌધરીના હાથમાં સોંપવામાં આવશે. એટલે કે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. 'સુશાસન બાબુ' તરીકે જાણીતા નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે અને કેન્દ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે.