હોર્મુઝમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ઓપરેશન શરૂ
હોર્મુઝમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા ઓપરેશન શરૂ
Published on: 31st May, 2026

અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવને પગલે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને સલામત રીતે બહાર કાઢવા માટે ભારતે એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે. શિપિંગ મંત્રાલયે અન્ય વિભાગોની મદદથી આ આયોજન કર્યું છે. સરકારે PSU ઓઇલ કંપનીઓને LPG માટે ૩૦ દિવસનો ઓન ડિમાન્ડ રિઝર્વ સ્ટોક રાખવાનો આદેશ આપ્યો છે. આ જહાજોમાં LPG, કેમિકલ પ્રોડક્ટ ટેન્કર, ક્રૂડ ઓઇલ ટેન્કર, કન્ટેનર, બલ્ક કેરિયર અને એક ડ્રેજરનો સમાવેશ થાય છે.