ચીને પહેલીવાર ભૂસ્ખલન-પૂરની તબાહીમાં મોતનો આંકડો જાહેર કર્યો
ચીને પહેલીવાર ભૂસ્ખલન-પૂરની તબાહીમાં મોતનો આંકડો જાહેર કર્યો
Published on: 05th September, 2026

ચીને નેપાળ સરહદ નજીક ગિરોંગ વિસ્તારમાં થયેલા ભયાનક ભૂસ્ખલન અને પૂરની ઘટના અંગે પ્રથમ વખત સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઓફિસની ઇમારતમાંથી 31 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 531 લોકો હજુ પણ ગુમ છે. 26 ઓગસ્ટે થયેલા ભૂસ્ખલન બાદ આવેલા ભીષણ પૂરના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. બચાવ કામગીરીમાં હાઇવેનું તૂટી જવું અને વીજ પુરવઠો ઠપ થવા જેવા અવરોધો આવી રહ્યા છે. જોખમી વિસ્તારોનું તારણ કાઢીને બે ઇમરજન્સી શેલ્ટર હોમ તૈયાર કરાયા છે.