ઇરાનના જપ્ત જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળ્યા હોવાનો નિક્કી હેલીનો દાવો.
અમેરિકાએ હોર્મુઝની ખાડીમાં ઇરાન જતાં જહાજને જપ્ત કર્યું, જેમાં ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળી આવ્યા હોવાનો દાવો નિક્કી હેલીએ કર્યો છે. આ સાધનો ઔદ્યોગિક અને લશ્કરી હેતુ માટે ઉપયોગમાં લઇ શકાય છે. અમેરિકાએ લાદેલી ઘેરાબંધીના લીધે ચીનથી ઇરાન જતું જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું. નિક્કી હેલીના દાવાથી સનસનાટી મચી ગઈ છે. President Trump ના Republican પક્ષના સાંસદ નિક્કી હેલીએ આ દાવો સોશિયલ મીડિયા પર કર્યો છે.
ઇરાનના જપ્ત જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળ્યા હોવાનો નિક્કી હેલીનો દાવો.
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજો પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલાઓ છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી.
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
નેપાળના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નેપાળના ગૃહ મંત્રી સુધન ગુરુંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર 26 દિવસ પહેલા જ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં જ તેમને ગંભીર આરોપોને કારણે સત્તા છોડવાની ફરજ પડી છે, જેને વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે. સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા.
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે પેન્ટાગોનના એક ન્યૂઝ રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકન રક્ષા વિભાગ(પેન્ટાગોન)ની ગુપ્તચર શાખાના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય ક્ષમતા હજુ પણ મજબૂત છે. આ રિપોર્ટ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણમંત્રી પીટ હેગસેથના એ દાવાઓથી તદ્દન વિપરીત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સંઘર્ષોમાં ઈરાની સેનાને ભારે નુકસાન થયું છે અને તેની તાકાત નબળી પડી છે. આ આંતરિક આકલન બહાર આવ્યા બાદ ટ્રમ્પ અને હેગસેથના નિવેદનો પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
NASA દ્વારા સંચાલિત International Space Station (ISS) પર કાર્યરત Expedition 74ના ક્રૂ માટે હવે નવી ટેક્નોલોજી સાથેનું મોટું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે નાસાએ જાહેરાત કરી હતી કે તેમણે ISS માટેની અપગ્રેડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં નેટવર્ક સર્વર્સને બદલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ નવા તથા વધુ શક્તિશાળી લેપટોપ્સને સક્રિય કરવામાં આવશે. ISS પ્રોગ્રામે આગામી લેપટોપ તરીકે HP ZBook G9 Mobile Workstation પસંદ કર્યું છે.
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
વૈશ્વિક પડકારો વચ્ચે પણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ ₹૭૨,૩૨૫.૮૨ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અમેરિકામાં ટેરિફ સમસ્યાઓને કારણે નિકાસ ઘટવા છતાં ચીન અને અન્ય દેશોની વધતી માંગે આ ખોટ સરભર કરી છે. કુલ ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન નિકાસમાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય હિસ્સો ધરાવે છે, જેણે ₹૪૭,૯૭૩.૧૩ કરોડની કમાણી કરાવી છે. ભારતનું સી-ફૂડ માર્કેટ નવા દેશોમાં વિસ્તરતા નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સાએ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ આર્થિક રીતે નુકસાનકારક ફ્લાઇટ્સ બંધ કરવાથી લગભગ 40,000 ટન ઇંધણની બચત થશે.
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે કડક આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન કંગાળ થવાના આરે છે, તેની પાસે સૈન્યને પગાર ચૂકવવાના પણ નાણાં નથી. પ્રતિબંધોને લીધે ઈરાનને રોજના 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને ખાર્ગ ટાપુ પરથી થતી તેલ નિકાસ ઠપ્પ થઈ છે. જોકે, પાકિસ્તાનની મધ્યસ્થી અને વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે અસ્થાયી યુદ્ધવિરામ લંબાવ્યો છે. અમેરિકા હવે આર્થિક ઘેરાબંધી મજબૂત કરી ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પત્ની-દીકરી ગુમાવનાર વડોદરાના યુવકને British સરકારે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સ્પાઉસ વિઝા પર ગયેલા મહંમદ શેઠવાલાના વિઝા રદ થતા FLR અરજી નામંજૂર થઈ. સરકારે જણાવ્યું કે તેમનો પરિવાર ભારતમાં છે, તેથી વસવાટમાં મુશ્કેલી નહીં પડે. આ નિર્ણયની ટીકા થઈ રહી છે, કાર્યકરોએ ગૃહ મંત્રાલયને ક્રૂર ગણાવ્યું. હવે યુવક British સરકાર સામે કાયદાકીય લડત લડશે.
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
US સૈન્યએ બંગાળની ખાડીમાં ઈરાન સાથે જોડાયેલ ઓઈલ ટેન્કર 'એમ/ટી ટિફાની'ને કબજે કરતા દરિયાઈ વિસ્તારોમાં તણાવ વધ્યો છે. શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાનું આ બીજું મોટું પગલું છે, જેના કારણે પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને આ કાર્યવાહીને "રાજ્ય-પ્રાયોજિત ચાંચિયાગીરી" ગણાવી આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વિરોધ નોંધાવ્યો છે અને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. આ ઘટનાએ વૈશ્વિક શાંતિના પ્રયાસોને ફરી એકવાર જોખમમાં મૂક્યા છે.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
કાર્નેગી એન્ડોમેન્ટના ૨૦૨૬ના સર્વે મુજબ, દર ૧૦માંથી ૪ ભારતીય-અમેરિકનો હવે 'અમેરિકન ડ્રીમ' છોડી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડ માટેની ૭૦ વર્ષ લાંબી પ્રતીક્ષા અને વધતી મોંઘવારી આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓથી ૭૧% ભારતીયો અસંતુષ્ટ છે. બીજી તરફ, ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક હબ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હવે ‘રિવર્સ માઈગ્રેશન’નો ટ્રેન્ડ તેજ બન્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
અજય બંગાનું નિવેદન: ગરીબી દૂર કરવા નોકરીઓ આપવી પડશે.
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા નોકરીઓ આપવા પર ભાર મૂક્યો. નિખિલ કામથ સાથેની વાતચીતમાં ગ્લોબલ ઇકોનોમી અને ભારતના વિકાસની ચર્ચા કરી. તેમણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બદલાવોની પ્રશંસા કરી અને ટુરિઝમ વધારવા પર ભાર મૂક્યો. DQ એટલે કે Decency Quotientને સફળતાનો મંત્ર ગણાવ્યો.
અજય બંગાનું નિવેદન: ગરીબી દૂર કરવા નોકરીઓ આપવી પડશે.
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવ્યું, હોર્મુઝ પર નાકાબંધી યથાવત.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને લંબાવવાનો નિર્ણય લીધો છે, જે પાકિસ્તાનના આસિમ મુનીર અને શહબાઝ શરીફની અપીલ પર લેવાયો છે. ટ્રમ્પે ઈરાનને વાતચીત માટે પ્રસ્તાવ તૈયાર કરવા સમય આપ્યો છે, પણ હોર્મુઝ પર નાકાબંધી ચાલુ રહેશે. ઈરાને સીઝફાયરને હુમલા માટે સમય મેળવવાની રણનીતિ ગણાવી છે, તથા નાકાબંધીને બોમ્બમારો ગણાવી છે. સીઝફાયર ૮ એપ્રિલે લાગુ કરાયું હતું.
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવ્યું, હોર્મુઝ પર નાકાબંધી યથાવત.
ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ રૂટ પ્રભાવિત થતા ભારતમાં ખાતરનું ઉત્પાદન માર્ચમાં ૨૪.૬ ટકા ઘટ્યું છે. યુરિયા બનાવવા માટે જરૂરી નેચરલ ગેસનો પુરવઠો ખોરવાતા દેશમાં ખાતરની અછત અને ખાદ્ય મોંઘવારી વધવાની ભીતિ છે. ભારત પોતાની ૬૦ ટકા ગેસ અને ૪૦ ટકા યુરિયાની જરૂરિયાત માટે ખાડી દેશો પર નિર્ભર છે. જોકે, સરકારે ખરીફ સિઝન માટે પૂરતો બફર સ્ટોક હોવાની ખાતરી આપી છે, પરંતુ આ સ્થિતિ સ્વદેશી નેનો ખાતર અને જૈવિક ખેતી તરફ વળવા માટે 'વેક-અપ કોલ' સમાન છે.
ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર લંબાયું, Pakistani આર્મી ચીફ અને PMના કહેવાથી Donald Trump એ નિર્ણય લીધો. પાકિસ્તાનની મધ્યસ્થીથી ટ્રમ્પે હુમલો રોક્યો, ઈરાને શાંતિ પ્રસ્તાવ મૂકવા સુધી સીઝફાયર ચાલુ રહેશે. ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. ઈરાને આને ટ્રમ્પની ચાલ ગણાવી, કહ્યું કે હારનાર શરતો ન લાદી શકે. IRGC એ કહ્યું વાતચીત શરતો પર થશે. પાકિસ્તાને ટ્રમ્પનો આભાર માન્યો.
પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ ક્યારેય શરતો લાદી શકે નહીં. ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.
પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
પશ્ચિમ એશિયા સંકટે ભારત-GCC FTA વાટાઘાટોને ધીમી કરી: નીતિ આયોગનો અહેવાલ.
નીતિ આયોગે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પરની પ્રગતિને ધીમી કરી છે. ઊર્જા આયાત, નિકાસ અને રેમિટન્સના સંદર્ભમાં ગલ્ફ ક્ષેત્ર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. વેપારનો નોંધપાત્ર હિસ્સો આ પ્રદેશમાંથી પસાર થાય છે.
પશ્ચિમ એશિયા સંકટે ભારત-GCC FTA વાટાઘાટોને ધીમી કરી: નીતિ આયોગનો અહેવાલ.
અમેરિકન કંપનીઓ પાસેથી ભારતીય નિકાસકારોએ 12 અબજ ડોલરનું ટેરિફ રિફંડ લેવાનું રહેશે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવતા 166 અબજ ડોલરના રિફંડની પ્રક્રિયા શરૂ થઇ છે, જેમાં ભારતીય નિકાસકારોને 12 અબજ ડોલરનું રિફંડ લેવાનું છે. ભારતીય નિકાસકારોએ આ રિફંડ સીધું ટ્રમ્પ તંત્ર પાસેથી નહીં, પણ અમેરિકન આયાતકારો પાસેથી મેળવવાનું રહેશે. કંપનીઓને નાણાં મળતા 60 થી 90 દિવસનો સમય લાગી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના સૂત્રોએ આ માહિતી આપી હતી.
અમેરિકન કંપનીઓ પાસેથી ભારતીય નિકાસકારોએ 12 અબજ ડોલરનું ટેરિફ રિફંડ લેવાનું રહેશે.
ટેરિફ પછી ઈરાન યુદ્ધ: અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારે રોષ.
અમેરિકામાં ટ્રમ્પ સામે જનતાનો રોષ ટેરિફ અને ઈરાન યુદ્ધ જેવા પગલાંથી વધ્યો છે. બે તૃતિયાંશ અમેરિકનો ટ્રમ્પના 'કામકાજ-મિજાજ'થી નારાજ છે. જાન્યુઆરી 2025માં ટ્રમ્પનો એપ્રુવલ રેટિંગ 47 ટકા હતો, જે ઘટીને 36 ટકા થયો છે. ટ્રમ્પની કામ કરવાની પદ્ધતિ અને સ્વભાવને કારણે નાગરિકોમાં ચિંતા વધી રહી છે.
ટેરિફ પછી ઈરાન યુદ્ધ: અમેરિકામાં ટ્રમ્પ માટે જનતામાં ભારે રોષ.
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ઝટકો આપતો સર્વે, 62 ટકા અમેરિકન સ્વભાવ અને કામકાજથી નાખુશ
અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યશૈલી અને સ્વભાવને લઈને અમેરિકન નાગરિકોમાં ચિંતા વધતી જઈ રહી છે. Reuters અને Ipsosના સંયુક્ત સર્વેમાં એ વાત સામે આવી છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના સ્વભાવ અને નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે 62% અમેરિકન ટ્રમ્પના કામકાજથી ખુશ નથી. જેમાં તેમની પાર્ટીના કેટલાક રિપબ્લિકન પણ સામેલ છે, જે તેમના સ્વભાવ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 36% પર જળવાઈ રહ્યું છે.
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પને ઝટકો આપતો સર્વે, 62 ટકા અમેરિકન સ્વભાવ અને કામકાજથી નાખુશ
ટ્રમ્પે કહ્યું: '..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીઝફાયર ખત્મ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંકેતો મળી રહ્યા છે કે, યુ.એસ. અને ઈરાન બંનેના ડેલિગેશન સીઝફાયરની વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. એક રિપોર્ટ મુજબ, બે અધિકારીએ ઓળખ ન બતાવવાની શરતે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. અમેરિકા અને ઈરાનની વાટાઘાટોના સમયની સાર્વજનિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જાણકારી સામે આવી છે.
ટ્રમ્પે કહ્યું: '..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા છે. વોશિંગ્ટન સમય અનુસાર બુધવારે સાંજે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે, તેવામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો વાટાઘાટોમાં પ્રગતિના સંકેતો દેખાય તો તેઓ વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓને મળવા તૈયાર છે. ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોનો બહિષ્કાર કરવાની ધમકી આપી હોવા છતાં, ટ્રમ્પે તેમની હાઈ-પ્રોફાઈલ ટીમ મોકલી દીધી છે. ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન સાથે નહીં, પરંતુ ઈરાન સાથે વાટાઘાટો કરવા ખુદ ટ્રમ્પ મેદાનમાં આવવા તૈયાર!
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે. અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત!
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો વર્તમાન યુદ્ધવિરામ આગામી બુધવાર સાંજ સુધીમાં સમાપ્ત થઈ જશે. ટ્રમ્પે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જો ઈરાન તેમની ડીલનો સ્વીકાર નહીં કરે, તો આ કરારને આગળ વધારવાની કોઈ સંભાવના નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ ઉતાવળમાં કોઈ નબળો કે ખરાબ સોદો કરવા માંગતા નથી. CNN મુજબ, પાકિસ્તાનમાં બીજા તબક્કાની મંત્રણા માટે ઈરાન તૈયાર હોવાનું જણાવાયું છે. આ સંભવિત વાટાઘાટો માટે અમેરિકી ઉપપ્રમુખ જેડી વેન્સ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થશે.
બુધવારે યુદ્ધવિરામ ખતમ, ડીલ નહીં થાય તો બોમ્બ ફૂટશે: ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઇસ્લામાબાદ પહોંચશે. ઈરાનના સુપ્રીમ લીડરે શાંતિ વાટાઘાટો માટે મંજૂરી આપી છે, જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીનું દબાણ છે. ટ્રમ્પે 22 એપ્રિલ સુધી સમજૂતી ન થાય તો બોમ્બમારો કરવાની ચેતવણી આપી છે. આ બેઠકમાં સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ હાજર રહેશે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે શાંતિની આશા! જેડી વેન્સ ઇસ્લામાબાદ જશે, ઈરાનની મંજૂરી.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
ભારતીય કંપનીઓએ વિદેશથી માલ ખરીદવા માટે તેમની ચુકવણી વ્યૂહરચના બદલી છે. તેઓ હવે ચીનના ચલણ, યુઆનને યુએસ ડોલર કરતાં વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. તાજેતરમાં, ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ ખરીદી માટે પણ યુઆનમાં ચૂકવણી કરી હતી. હવે, ચીનથી આયાત માટે ચૂકવણી પણ યુઆનમાં કરવામાં આવી રહી છે. હકીકતમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.
કંપનીઓએ ડોલરની જગ્યાએ ચાઇનીઝ યુઆનમાં ચુકવણી કરી.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
ગત વર્ષે ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલ ટેરિફ પરત કરવાની કામગીરી શરૂ, કાયદાકીય જટિલતાથી વિલંબ થઈ શકે છે. 20 ફેબ્રુઆરી, 2025થી ટ્રમ્પ તંત્ર દ્વારા નવા ટેરિફ લાગુ કરાયા હતા, જેની સામે અમેરિકન કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ નિર્ણય લેવાયો, અને ટેરિફ ગેરકાયદે ઠેરવી પરત કરવાનો આદેશ અપાયો. આયાતકારો માટે ઓટોમેટેડ કોમર્શિયલ એન્વાર્નમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરાયું છે, જેનાથી ક્લેઈમ ફાઈલિંગ સરળ બનશે.
ટ્રમ્પના ટેરિફ રિફંડની પ્રક્રિયા શરૂ, પરંતુ પૈસા મળે ત્યારે સાચા.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે MSME નિકાસકારો માટે સેમિનાર યોજાયો, જેમાં વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર અને સરકારી યોજનાઓના લાભો વિશે માર્ગદર્શન અપાયું. ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટની જાહેરાત કરવામાં આવી. ECGC અને DGFT દ્વારા નિકાસકારોને રાહત યોજનાઓ અને વીમા કવચની માહિતી આપવામાં આવી. નિકાસકારોને કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક સામે રક્ષણ મેળવવા ECGCની સેવાઓનો લાભ લેવા જણાવ્યું.
MSME નિકાસકારો માટે સારા સમાચાર: વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં 50% રિમ્બર્સમેન્ટ મળશે.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
યુદ્ધમાં માનવતા અને નૈતિકતાનું શું મહત્ત્વ? જર્મન ઉદ્યોગપતિ ઓસ્કાર સિન્ડલરની જેમ ચીઉને સુગિહારાએ હજારો યહૂદીઓને બચાવ્યા. જાપાની ડિપ્લોમેટ સુગિહારાએ સરકારના આદેશને અવગણીને યહૂદીઓને ટ્રાન્ઝિટ વિઝા આપ્યા. તેમણે રોજ 18-20 કલાક કામ કરીને વિઝા લખ્યા અને અંદાજે 6000 નિર્દોષોને બચાવ્યા. ઇઝરાયેલે તેમને ‘Righteous Among the Nations’ તરીકે સન્માનિત કર્યા. આજે લોસ એન્જલસમાં તેમની પ્રતિમા છે.
સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા.
FBI દ્વારા 12 વર્ષથી પીછો: $32 મિલિયન કૌભાંડના આરોપી ભાસ્કર સવાણીના આક્ષેપો અને સંઘર્ષ.
ભાસ્કર સવાણીએ FBI દ્વારા તેમની સાથે થયેલ વર્તનની વાત કરી. 2018માં તેમની ડેન્ટલ ઑફિસ પર દરોડા, ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા, તથા રેકેટિંગનો આરોપ લગાવ્યો. તેઓ ગુજરાતી હોવાથી હેરાન કરાયા અને પગમાં GPS ટ્રેકર લગાવાયું. H1B વિઝા ફ્રોડ, હેલ્થકેર ફ્રોડ તથા અન્ય આરોપો લાગ્યા. રૂમ પાર્ટનર સાથેના વિવાદો અને ખોટા આક્ષેપો, તેમજ તુલસી ગબાર્ડને સપોર્ટ કરવાથી પોલિટિકલ ટાર્ગેટિંગ થયું હોવાનું સવાણી માને છે. ગુજરાતીઓમાં એકતાના અભાવે મુશ્કેલી વધી હોવાનું જણાવ્યું.