અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
કાર્નેગી એન્ડોમેન્ટના ૨૦૨૬ના સર્વે મુજબ, દર ૧૦માંથી ૪ ભારતીય-અમેરિકનો હવે 'અમેરિકન ડ્રીમ' છોડી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડ માટેની ૭૦ વર્ષ લાંબી પ્રતીક્ષા અને વધતી મોંઘવારી આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓથી ૭૧% ભારતીયો અસંતુષ્ટ છે. બીજી તરફ, ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક હબ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હવે ‘રિવર્સ માઈગ્રેશન’નો ટ્રેન્ડ તેજ બન્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
નેપાળના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નેપાળના ગૃહ મંત્રી સુધન ગુરુંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર 26 દિવસ પહેલા જ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં જ તેમને ગંભીર આરોપોને કારણે સત્તા છોડવાની ફરજ પડી છે, જેને વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે. સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા.
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે પેન્ટાગોનના એક ન્યૂઝ રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકન રક્ષા વિભાગ(પેન્ટાગોન)ની ગુપ્તચર શાખાના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય ક્ષમતા હજુ પણ મજબૂત છે. આ રિપોર્ટ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણમંત્રી પીટ હેગસેથના એ દાવાઓથી તદ્દન વિપરીત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સંઘર્ષોમાં ઈરાની સેનાને ભારે નુકસાન થયું છે અને તેની તાકાત નબળી પડી છે. આ આંતરિક આકલન બહાર આવ્યા બાદ ટ્રમ્પ અને હેગસેથના નિવેદનો પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
NASA દ્વારા સંચાલિત International Space Station (ISS) પર કાર્યરત Expedition 74ના ક્રૂ માટે હવે નવી ટેક્નોલોજી સાથેનું મોટું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે નાસાએ જાહેરાત કરી હતી કે તેમણે ISS માટેની અપગ્રેડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં નેટવર્ક સર્વર્સને બદલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ નવા તથા વધુ શક્તિશાળી લેપટોપ્સને સક્રિય કરવામાં આવશે. ISS પ્રોગ્રામે આગામી લેપટોપ તરીકે HP ZBook G9 Mobile Workstation પસંદ કર્યું છે.
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
વૈશ્વિક પડકારો વચ્ચે પણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ ₹૭૨,૩૨૫.૮૨ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અમેરિકામાં ટેરિફ સમસ્યાઓને કારણે નિકાસ ઘટવા છતાં ચીન અને અન્ય દેશોની વધતી માંગે આ ખોટ સરભર કરી છે. કુલ ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન નિકાસમાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય હિસ્સો ધરાવે છે, જેણે ₹૪૭,૯૭૩.૧૩ કરોડની કમાણી કરાવી છે. ભારતનું સી-ફૂડ માર્કેટ નવા દેશોમાં વિસ્તરતા નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સાએ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ આર્થિક રીતે નુકસાનકારક ફ્લાઇટ્સ બંધ કરવાથી લગભગ 40,000 ટન ઇંધણની બચત થશે.
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે કડક આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન કંગાળ થવાના આરે છે, તેની પાસે સૈન્યને પગાર ચૂકવવાના પણ નાણાં નથી. પ્રતિબંધોને લીધે ઈરાનને રોજના 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને ખાર્ગ ટાપુ પરથી થતી તેલ નિકાસ ઠપ્પ થઈ છે. જોકે, પાકિસ્તાનની મધ્યસ્થી અને વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે અસ્થાયી યુદ્ધવિરામ લંબાવ્યો છે. અમેરિકા હવે આર્થિક ઘેરાબંધી મજબૂત કરી ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
Operation સિંદૂર: દિલ્હી પર પાકિસ્તાની મિસાઇલ હુમલો નિષ્ફળ
Operation સિંદૂર સમયે, પાકિસ્તાની મિસાઇલ દિલ્હી તરફ વધી રહી હતી, જેને ભારતીય વાયુસેનાએ હરિયાણાના આકાશમાં જ નષ્ટ કરી દીધી. ઇન્ડિયન એરફોર્સે બરાક-8 (Barak-8) મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી મિસાઇલને તોડી પાડી. એર કોમોડોર રોહિત કપિલને યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો. 'સુદર્શન પ્રોગ્રામ' હેઠળ સુરક્ષા કવચ મજબૂત કરાયું, જે દેશભરમાં એસ-400 (S-400) અને બરાક-8 જેવી સિસ્ટમ્સથી સજ્જ છે.
Operation સિંદૂર: દિલ્હી પર પાકિસ્તાની મિસાઇલ હુમલો નિષ્ફળ
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પત્ની-દીકરી ગુમાવનાર વડોદરાના યુવકને British સરકારે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સ્પાઉસ વિઝા પર ગયેલા મહંમદ શેઠવાલાના વિઝા રદ થતા FLR અરજી નામંજૂર થઈ. સરકારે જણાવ્યું કે તેમનો પરિવાર ભારતમાં છે, તેથી વસવાટમાં મુશ્કેલી નહીં પડે. આ નિર્ણયની ટીકા થઈ રહી છે, કાર્યકરોએ ગૃહ મંત્રાલયને ક્રૂર ગણાવ્યું. હવે યુવક British સરકાર સામે કાયદાકીય લડત લડશે.
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
પહેલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો
ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામની બાઈસરન વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેની વિપરીત અસર પ્રવાસન ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન કાશ્મીર જવા માટે ગુજરાતીઓની પડાપડી થતી હોય છે. આંકડાઓ મુજબ એપ્રિલ-મે મહિનામાં દર વર્ષે 50 થી 70 હજાર ગુજરાતીઓ કાશ્મીર પહોંચતા હતા. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 40% સુધીનો ઘટાડો નોંધાયો છે. જે પ્રવાસીઓ કાશ્મીર જાય છે, તેમાંથી 20% લોકો સુરક્ષાના કારણે પહેલગામ જવાનું ટાળી રહ્યા છે અને માત્ર શ્રીનગર, ગુલમર્ગ કે સોનમર્ગની મુલાકાત લઈ પરત ફરે છે.
પહેલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો
TCS કેસ: નિદા ખાન પર જબરદસ્તી ધર્માંતરણનો આરોપ, ધરપકડથી બચવા બે મહિનાની ગર્ભાવસ્થાનું કારણ આપી જામીન માંગ્યા.
નાસિકની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં યૌન ઉત્પીડન કેસમાં આરોપી નિદા ખાન ફરાર છે, પોલીસનો દાવો છે કે તે જબરદસ્તી ધર્માંતરણમાં પણ સામેલ હતી. આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે, કારણ કે નિદાએ બે મહિનાની ગર્ભાવસ્થા બતાવી જામીન માંગ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ થઈ છે. TCS એ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી આરોપીઓને સસ્પેન્ડ કર્યા છે.
TCS કેસ: નિદા ખાન પર જબરદસ્તી ધર્માંતરણનો આરોપ, ધરપકડથી બચવા બે મહિનાની ગર્ભાવસ્થાનું કારણ આપી જામીન માંગ્યા.
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના પાયાની ચીજ એવી 'માછલી'ને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. TMCના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિ માટે ખતરો છે. મચ્છી-ભાત સાથે કોઈ સમજૂતી નહીં થાય. ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. ભાજપ તમને ઈંડા અને માંસ પણ ખાવા દેશે નહીં. બંગાળ માછલી-ભાત પર નિર્ભર છે. જો આપણે એ નહીં ખાઈએ તો શું ખાશું?
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
પહેલગામ હત્યાકાંડની પ્રવાસન પર એક વર્ષ પછીની અસર.
ગયા વર્ષે પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી પહેલગામ અને સમગ્ર ભારત હચમચી ગયું હતું. આ હત્યાકાંડની પહેલગામના TOURISM INDUSTRY પર ઘણી અસર થઈ છે. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયા બાદ, ચાલો જોઈએ કે પહેલગામની આજની પરિસ્થિતિ કેવી છે અને પ્રવાસન ઉદ્યોગ ફરીથી પાટા પર આવી રહ્યો છે કે નહીં.
પહેલગામ હત્યાકાંડની પ્રવાસન પર એક વર્ષ પછીની અસર.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
US સૈન્યએ બંગાળની ખાડીમાં ઈરાન સાથે જોડાયેલ ઓઈલ ટેન્કર 'એમ/ટી ટિફાની'ને કબજે કરતા દરિયાઈ વિસ્તારોમાં તણાવ વધ્યો છે. શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાનું આ બીજું મોટું પગલું છે, જેના કારણે પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને આ કાર્યવાહીને "રાજ્ય-પ્રાયોજિત ચાંચિયાગીરી" ગણાવી આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વિરોધ નોંધાવ્યો છે અને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. આ ઘટનાએ વૈશ્વિક શાંતિના પ્રયાસોને ફરી એકવાર જોખમમાં મૂક્યા છે.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ: સેનાએ ન્યાયની ખાતરી આપી, મોદીએ આતંકવાદ સામે ભારત અડગ હોવાનું જણાવ્યું.
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરના ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારાઈ છે. PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ સામે ભારતની અડગતા વ્યક્ત કરી. હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો આજે પણ પીડા અનુભવી રહ્યા છે, અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. Lt. વિનય નરવાલના પિતાએ પુત્રની યાદમાં મેડિકલ કોલેજનું નામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. બિટાન અધિકારીની માતા મીઠાઈ બનાવવાનું ટાળે છે. સંતોષ જગદાલેએ દીકરીને બચાવી. શુભમ દ્વિવેદીનો પરિવાર દર મહિને ભોજન કરાવે છે.
પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ: સેનાએ ન્યાયની ખાતરી આપી, મોદીએ આતંકવાદ સામે ભારત અડગ હોવાનું જણાવ્યું.
અજય બંગાનું નિવેદન: ગરીબી દૂર કરવા નોકરીઓ આપવી પડશે.
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બંગાએ વિકાસશીલ દેશોમાં ગરીબી દૂર કરવા નોકરીઓ આપવા પર ભાર મૂક્યો. નિખિલ કામથ સાથેની વાતચીતમાં ગ્લોબલ ઇકોનોમી અને ભારતના વિકાસની ચર્ચા કરી. તેમણે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બદલાવોની પ્રશંસા કરી અને ટુરિઝમ વધારવા પર ભાર મૂક્યો. DQ એટલે કે Decency Quotientને સફળતાનો મંત્ર ગણાવ્યો.
અજય બંગાનું નિવેદન: ગરીબી દૂર કરવા નોકરીઓ આપવી પડશે.
MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા.
દેશના મેદાની વિસ્તારોમાં આકરી ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત છે, જેમાં ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ ૪૪.૬°C સાથે સૌથી ગરમ રહ્યું છે. મધ્ય પ્રદેશના ૯ જિલ્લાઓમાં પ્રથમ વખત 'વોર્મ નાઈટ'નું એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અનેક રાજ્યોમાં શાળાઓના સમયમાં ફેરફાર કે રજાઓ જાહેર કરવામાં આવી છે. બિલાસપુર જેવા શહેરોમાં ગરમીથી રાહત મેળવવા મિસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે. આગામી દિવસોમાં પણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
MPના 9 શહેરોમાં વોર્મ નાઈટનું એલર્ટ:છત્તીસગઢમાં પ્લેટફોર્મ પર ઠંડા ફુવારા છોડવામાં આવ્યા.
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવ્યું, હોર્મુઝ પર નાકાબંધી યથાવત.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સીઝફાયરને લંબાવવાનો નિર્ણય લીધો છે, જે પાકિસ્તાનના આસિમ મુનીર અને શહબાઝ શરીફની અપીલ પર લેવાયો છે. ટ્રમ્પે ઈરાનને વાતચીત માટે પ્રસ્તાવ તૈયાર કરવા સમય આપ્યો છે, પણ હોર્મુઝ પર નાકાબંધી ચાલુ રહેશે. ઈરાને સીઝફાયરને હુમલા માટે સમય મેળવવાની રણનીતિ ગણાવી છે, તથા નાકાબંધીને બોમ્બમારો ગણાવી છે. સીઝફાયર ૮ એપ્રિલે લાગુ કરાયું હતું.
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવ્યું, હોર્મુઝ પર નાકાબંધી યથાવત.
ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ રૂટ પ્રભાવિત થતા ભારતમાં ખાતરનું ઉત્પાદન માર્ચમાં ૨૪.૬ ટકા ઘટ્યું છે. યુરિયા બનાવવા માટે જરૂરી નેચરલ ગેસનો પુરવઠો ખોરવાતા દેશમાં ખાતરની અછત અને ખાદ્ય મોંઘવારી વધવાની ભીતિ છે. ભારત પોતાની ૬૦ ટકા ગેસ અને ૪૦ ટકા યુરિયાની જરૂરિયાત માટે ખાડી દેશો પર નિર્ભર છે. જોકે, સરકારે ખરીફ સિઝન માટે પૂરતો બફર સ્ટોક હોવાની ખાતરી આપી છે, પરંતુ આ સ્થિતિ સ્વદેશી નેનો ખાતર અને જૈવિક ખેતી તરફ વળવા માટે 'વેક-અપ કોલ' સમાન છે.
ઈરાન-યુદ્ધને કારણે ભારતમાં ખાતર ઉત્પાદનમાં 25% ઘટાડો.
પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયર લંબાયું, Pakistani આર્મી ચીફ અને PMના કહેવાથી Donald Trump એ નિર્ણય લીધો. પાકિસ્તાનની મધ્યસ્થીથી ટ્રમ્પે હુમલો રોક્યો, ઈરાને શાંતિ પ્રસ્તાવ મૂકવા સુધી સીઝફાયર ચાલુ રહેશે. ઈરાની બંદરો પર અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. ઈરાને આને ટ્રમ્પની ચાલ ગણાવી, કહ્યું કે હારનાર શરતો ન લાદી શકે. IRGC એ કહ્યું વાતચીત શરતો પર થશે. પાકિસ્તાને ટ્રમ્પનો આભાર માન્યો.
પાકિસ્તાને ટ્રમ્પને સીઝફાયર માટે કેવી રીતે મનાવ્યા?
વિદેશી ઓટો-પેમેન્ટ માટે RBIના નવા નિયમો.
હવે Netflix, YouTube જેવા વિદેશી એપ્સના સબ્સ્ક્રિપ્શન માટે ઓટોમેટિક પેમેન્ટ ગમે ત્યારે રોકી શકાશે. RBIએ નિયમો બદલ્યા છે, જેનાથી કાર્ડ/UPIથી થતા ઈ-મેન્ડેટ પેમેન્ટ પહેલાં નોટિફિકેશન મળશે અને AFA વેરિફિકેશન થશે. આથી યુઝર્સ ડિજિટલ ફ્રોડથી બચી શકશે. ટ્રાન્ઝેક્શન લિમિટ ₹15,000 સુધીની રહેશે, અને ખોટા ટ્રાન્ઝેક્શનનું રિપોર્ટિંગ ૩ દિવસમાં કરવાથી રિફંડ મળશે. બેંકો આ સુવિધા માટે કોઈ ચાર્જ વસૂલશે નહીં.
વિદેશી ઓટો-પેમેન્ટ માટે RBIના નવા નિયમો.
પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર મડાગાંઠ સર્જાઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ એકતરફી રીતે યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઈરાનની સંસદના સ્પીકરના સલાહકાર મહેદી મોહમ્મદીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પનું સીઝફાયર એક્સટેન્શન કોઈ અર્થ ધરાવતું નથી, કારણ કે હારનાર પક્ષ ક્યારેય શરતો લાદી શકે નહીં. ઈરાનના આ આક્રમક વલણથી સ્પષ્ટ થાય છે કે તેહરાન અત્યારે અમેરિકાના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી અને પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપી રહ્યું છે.
પરાજિત પક્ષ શરતો ના થોપી શકે: ટ્રમ્પની એકતરફી યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનનો જવાબ
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો
હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલી દેવામાં આવશે. શિયાળાના છ મહિનાના લાંબા અંતરાલ બાદ, વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર કેદારપુરી 'જય બાબા કેદાર' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠી છે. 10 દિવસ વહેલા શરૂ થઈ કેદારનાથ યાત્રા આ ખાસ અવસર માટે મુખ્ય મંદિરને અંદાજે 51 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો
મોટા ઉદ્યોગોએ આશરે રૂ. 8 લાખ કરોડ અટકાવી રાખ્યા છે, જે MSME માટે સમસ્યા ઊભી કરે છે.
MSME માટે સરકારની 45 દિવસમાં પેમેન્ટની સ્કીમને મોટા ઉદ્યોગોએ અવગણી છે, જેના કારણે નાણાંનો ફ્લો અટક્યો છે. યોજનાના અમલીકરણમાં સરકારે કડક પગલાં લેવામાં નબળાઈ દાખવી છે. મોટા ઉદ્યોગો MSMEને પેમેન્ટ કરવામાં વિલંબ કરે છે, જેના કારણે અંદાજે રૂ. 8 લાખ કરોડની લેણી રકમ બાકી છે. આ MSME માટે ગંભીર સમસ્યા છે.
મોટા ઉદ્યોગોએ આશરે રૂ. 8 લાખ કરોડ અટકાવી રાખ્યા છે, જે MSME માટે સમસ્યા ઊભી કરે છે.
પૂરતી ઉપલબ્ધતાથી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી.
ઘરઆંગણે ઘઉંના પૂરતા સ્ટોક્સને ધ્યાનમાં રાખી સરકારે વધુ ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે. વર્તમાન વર્ષની રવી મોસમમાં ઘઉંનો વિપુલ પાક થવાનો અંદાજ છે. નિકાસકારો ૫૦ લાખ ટન ઘઉં તથા ૧૦ લાખ ટન ઘઉં પ્રોડકટસની નિકાસ કરી શકશે. નીચા ભાવને કારણે ખેડૂતોની હતાશાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
પૂરતી ઉપલબ્ધતાથી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસને મંજૂરી.
પશ્ચિમ એશિયા સંકટે ભારત-GCC FTA વાટાઘાટોને ધીમી કરી: નીતિ આયોગનો અહેવાલ.
નીતિ આયોગે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પરની પ્રગતિને ધીમી કરી છે. ઊર્જા આયાત, નિકાસ અને રેમિટન્સના સંદર્ભમાં ગલ્ફ ક્ષેત્ર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. વેપારનો નોંધપાત્ર હિસ્સો આ પ્રદેશમાંથી પસાર થાય છે.
પશ્ચિમ એશિયા સંકટે ભારત-GCC FTA વાટાઘાટોને ધીમી કરી: નીતિ આયોગનો અહેવાલ.
MPના પીથમપુરમાં કેમિકલ વેસ્ટ કંપનીમાં ભીષણ આગ.
મધ્યપ્રદેશના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હજારગો ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ડ્રમમાં ધડાકા થવાને કારણે આગ ઝડપથી ફેલાતા રેલવે અને ડિફેન્સ સેક્ટરને સપ્લાય કરતી નજીકની બે કંપનીઓ પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી, જેનાથી કરોડોનું નુકસાન થયું છે. ૧૪ ફાયર ફાઇટર અને SDRFની ટીમે ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, પ્લાન્ટમાં કામ કરતા ૧૦ મજૂરોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી.
MPના પીથમપુરમાં કેમિકલ વેસ્ટ કંપનીમાં ભીષણ આગ.
23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ: ભારતે એક વર્ષમાં ₹1 લાખ કરોડના books ખરીદ્યાં.
એક માન્યતા મુજબ લોકો વાંચતા નથી, books વેચાતા નથી, પણ આંકડા ખોટા પાડે છે. 2025માં વિશ્વનું book વેચાણ માર્કેટ $150 billion હતું. ભારતમાં ₹1 લાખ કરોડના books વેચાયા. e-book કરતા audio book વધુ લોકપ્રિય છે. modern marketingથી પુસ્તકો વધુ લોકો સુધી પહોંચે છે. PDFની કુટેવથી લેખક અને પ્રકાશકને નુકસાન થાય છે.
23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ: ભારતે એક વર્ષમાં ₹1 લાખ કરોડના books ખરીદ્યાં.
પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસીએ ભાવનગરના પરમાર પરિવારના જખમો ફરી તાજા થયા છે. આ દુર્ઘટનામાં પતિ અને પુત્ર ગુમાવનાર કિરણબેન આજે પણ માનસિક આઘાતમાં છે. તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય બદલ આભાર માન્યો છે, પરંતુ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો હજુ સુધી અધૂરો હોવાનું જણાવ્યું છે. આતંકવાદીઓને સજા અપાવવા બદલ વડાપ્રધાનનો આભાર માનવાની ઈચ્છા વ્યક્ત કરતા કિરણબેને ઉમેર્યું કે, સમય વીતવા છતાં તેમના જીવનમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં.
પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
અમેરિકન કંપનીઓ પાસેથી ભારતીય નિકાસકારોએ 12 અબજ ડોલરનું ટેરિફ રિફંડ લેવાનું રહેશે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવતા 166 અબજ ડોલરના રિફંડની પ્રક્રિયા શરૂ થઇ છે, જેમાં ભારતીય નિકાસકારોને 12 અબજ ડોલરનું રિફંડ લેવાનું છે. ભારતીય નિકાસકારોએ આ રિફંડ સીધું ટ્રમ્પ તંત્ર પાસેથી નહીં, પણ અમેરિકન આયાતકારો પાસેથી મેળવવાનું રહેશે. કંપનીઓને નાણાં મળતા 60 થી 90 દિવસનો સમય લાગી શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના સૂત્રોએ આ માહિતી આપી હતી.