હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ!
હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ!
Published on: 12th June, 2026

બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ ઘેરાયા છે. ક્રિકેટ આયર્લેન્ડે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે મેચો બેલફાસ્ટથી અન્ય સ્થળે ખસેડાશે કે પ્રવાસ રદ થશે. BCCI અને ક્રિકેટ આયર્લેન્ડ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લિસબર્નમાં યોજાનારો T20 ફેસ્ટિવલ રદ કરાયો છે. આગામી 48 કલાકમાં આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, જેમાં ખેલાડીઓની સુરક્ષા સર્વોપરી રહેશે.