બાંગ્લાદેશમાં હિન્દુઓનો રોષ: 'જય શ્રી રામ'ના નારા, મશાલ સરઘસ સાથે રસ્તા પર ઉતર્યા
બાંગ્લાદેશમાં હિન્દુઓનો રોષ: 'જય શ્રી રામ'ના નારા, મશાલ સરઘસ સાથે રસ્તા પર ઉતર્યા
Published on: 20th June, 2026

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં કટ્ટરપંથીઓ દ્વારા ભગવાન રામની તસવીરના અપમાનના વિરોધમાં હિન્દુઓએ મોટા પાયે પ્રદર્શનો કર્યા. હજારો હિન્દુઓએ મશાલ સરઘસ કાઢી 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા અને જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડની માંગ કરી. ઉત્તરી ગાયબાંધામાં 81 ફૂટની ભગવાન રામની પ્રતિમાનું નિર્માણ કાર્ય કથિત ધમકીઓને કારણે અટકાવી દેવાયું છે. આ ઘટનાએ લઘુમતીઓના અધિકારો અને સુરક્ષા અંગે ચિંતા જગાવી છે. પ્રદર્શનકારીઓએ 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.