નેપાળમાં ભયાનક પૂર બાદ મહામારીનો ભય અને હોસ્પિટલો હાઉસફૂલ
નેપાળમાં ભયાનક પૂર બાદ મહામારીનો ભય અને હોસ્પિટલો હાઉસફૂલ
Published on: 30th August, 2026

નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂર હોનારત બાદ 600થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. મોટાભાગના મૃતદેહોની ઓળખ ન થતાં અંતિમ સંસ્કાર અટકી પડ્યા છે, જેના કારણે મૃતદેહો સડી રહ્યા છે. આ સ્થિતિને કારણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો અને ભયાનક મહામારી ફેલાવાનો ગંભીર ખતરો ઉભો થયો છે. ચિતવનમાં હોસ્પિટલો દર્દીઓ અને મૃતદેહોથી ભરાઈ ગઈ છે, અને મૃતદેહોને સરકારી ઓફિસોમાં રાખવાની ફરજ પડી છે. આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે, નેપાળ સરકાર ડીએનએ (DNA) સેમ્પલ સુરક્ષિત રાખીને મૃતદેહોના ઝડપી અંતિમ સંસ્કાર કરવાની યોજના બનાવી રહી છે.