ચીનમાં ભયાનક ભૂસ્ખલન: 16 મોત, 500થી વધુ ગુમ
ચીનમાં ભયાનક ભૂસ્ખલન: 16 મોત, 500થી વધુ ગુમ
Published on: 30th August, 2026

ચીન-નેપાળ સરહદે આવેલા ગિરોંગ પોર્ટ (Gyirong Port) પર થયેલા વિનાશક ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 546 લોકો હજુ પણ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં 49 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. રાહત અને બચાવ ટીમો સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. અહેવાલો અનુસાર, 23 દેશોના કુલ 261 વિદેશી નાગરિકો ગુમ હોવાના અહેવાલ છે, જેમાં નેપાળ, લાતવિયા, અમેરિકા અને બ્રિટનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ગુમ થયેલા વિદેશી નાગરિકોના પરિવારો માટે બે અંગ્રેજી ભાષાની હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવી છે.