નેપાળ બાદ હવે સિક્કિમના ગ્લેશિયર સરોવરો પણ બની શકે છે જોખમી
નેપાળ બાદ હવે સિક્કિમના ગ્લેશિયર સરોવરો પણ બની શકે છે જોખમી
Published on: 07th September, 2026

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ સિક્કિમમાં પણ ગ્લેશિયર સરોવરો જોખમી બની શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિક્કિમમાં ૪૦૦ જેટલાં ગ્લેશિયર સરોવરો છે, જેમાંથી ૧૬ને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ઉત્તર અને પશ્ચિમ સિક્કિમમાં આવેલા આ સરોવરો પર સતત નજર રાખવા માટે સ્ટેટ સેન્સર્સ, વેધર સ્ટેશન્સ અને અર્લી-વોર્નિંગ સિસ્ટમ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જાણકારોના મતે, પીગળતા ગ્લેશિયર્સ દ્વારા બનતા આ સરોવરોની કુદરતી પાળો અસ્થિર હોવાથી Glacial Lake Outburst Flood (GLOF)નું જોખમ રહેલું છે. ઓક્ટોબર ૨૦૨૩માં દક્ષિણ લ્હોનક સરોવર ફાટવાથી થયેલી હોનારતના અનુભવ બાદ તંત્ર સજ્જ છે.