Menu
અમદાવાદ: રાજ્યાના 58 તાલુકામાં વરસાદ, દાહોદમાં વીજળી પડતા 2 લોકોના મોત
અમદાવાદ: રાજ્યાના 58 તાલુકામાં વરસાદ, દાહોદમાં વીજળી પડતા 2 લોકોના મોત
Published on: 14th June, 2025

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યાના 58 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દાહોદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. વીજળીના કડકા સાથે દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વીજળી પડતા 2 લોકોના મોત થયા છે. વીજળી પડવાના કારણે પિતા-પુત્રનું મોત થયું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં વરસાદ પડતા લોકોએ વરસાદની મજા માણિ હતી. ગોંડલમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ, રાજકોટમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ, કલોલમાં 1.30 ઈંચ, જાંબુઘોડામાં 1.26 ઈંચ, ધંધુકામાં 1.18 ઈંચ, જેતપુરમાં 1.18 ઈંચ, મૂળી અને બોટાદમાં 1.14 ઈંચ વરસાદ, નેત્રંગ અને લોધિકામાં 1-1 ઈંચ વરસાદ, કોટડા સાંગાણીમાં 1 ઈંચ વરસાદ નોધાયો છે.