વરસાદ ખેંચાતા પાટણના બીલીયા ગામે બાળકોએ મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયાસ કર્યો
વરસાદ ખેંચાતા પાટણના બીલીયા ગામે બાળકોએ મેઘરાજાને રીઝવવા અનોખો પ્રયાસ કર્યો
Published on: 29th June, 2026

ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાને રીઝવવા માટે અનેક લોકપરંપરાઓ જીવંત છે. પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં આ વર્ષે શંખેશ્વર તાલુકાના બીલીયા ગામે બાળકોએ ઘરે ઘરે ફરીને મેઘમાગણી કરી. તેમણે તળાવમાંથી માટી લાવી મેઘરાજાનું પૂતળું બનાવી, ગામમાં ફેરવીને પૂજા કરી. મહિલાઓએ પૂતળા અને બાળકો પર પાણી રેડી વરસાદની પ્રાર્થના કરી. બાળકોને મળેલું અનાજ પક્ષીઓને અપાયું, જ્યારે રોકડ રકમ સામૂહિક ઉપયોગમાં લેવાઈ. આ ધાર્મિક પરંપરાથી મેઘરાજા પ્રસન્ન થઈ સારો વરસાદ વરસાવશે તેવી ગ્રામજનોની માન્યતા છે.