ભરઉનાળે ૨૯ મેના રોજ વીજકાપ: કારેલીબાગ પાણીની ટાંકી હેઠળના વિસ્તારોમાં પાણી નહીં મળે
ભરઉનાળે ૨૯ મેના રોજ વીજકાપ: કારેલીબાગ પાણીની ટાંકી હેઠળના વિસ્તારોમાં પાણી નહીં મળે
Published on: 27th May, 2026

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૯ મે, ૨૦૨૬ને શુક્રવારે કારેલીબાગ ટાંકી હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કારેલીબાગ રસ/ડી સબ-સ્ટેશન ખાતે વીજ શટડાઉનને કારણે સવારે ૭ થી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કારણે હાઈપ્રેશર પમ્પિંગ મશીનરીઓ ચલાવી શકાશે નહીં, જે સવાર અને સાંજ બંને સમયના પાણી વિતરણ પર અસર કરશે. આ વિસ્તારોમાં પાણી નિર્ધારિત સમય કરતાં મોડું મળશે અને લો પ્રેશરથી મળશે, તેથી નાગરિકોને પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખવા અપીલ છે.