અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા!
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન મંજૂર કર્યા!
Published on: 27th May, 2026

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે. આ ચકચારી ઘટનામાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. લગભગ પોણા ત્રણ વર્ષના જેલવાસ બાદ તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર આવશે. તથ્યના વકીલે જામીન મળ્યાની પુષ્ટિ કરી છે. કેસની ટ્રાયલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ સાક્ષી તપાસ માટે મે મહિના સુધીનો સમય આપ્યો હતો. 19મી જુલાઈ, 2023ના રોજ થયેલા આ અકસ્માતમાં 9 લોકોના મોત અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.