અમદાવાદમાં ભારે વરસાદ: વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ભારે વરસાદ: વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
Published on: 18th September, 2026

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પર પણ પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સરખેજમાં સૌથી વધુ સવા 4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ પરિસ્થિતિને પગલે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અનેક અંડરપાસ બંધ કરાયા છે.