છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ.
છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ.
Published on: 13th May, 2026

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને લાંબા સમયથી ચાલી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચાર દિવસમાં સેન્સેક્સમાં સતત પીછેહઠને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ૧,૪૫૬ પોઇન્ટ (૧.૯૨ %) તૂટીને ૭૪,૫૫૯ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો, સેન્સેક્સમાં કુલ ૩,૩૯૯.૨૮ પોઇન્ટ અથવા ૪.૩૬ ટકાનું મોટું ગાબડું નોંધાયું છે.