એક્સેન્ચરના અહેવાલથી IT શેરોમાં કડાકો, ભારતીય શેરબજારમાં જોવાઈ અસ્થિરતા
એક્સેન્ચરના અહેવાલથી IT શેરોમાં કડાકો, ભારતીય શેરબજારમાં જોવાઈ અસ્થિરતા
Published on: 20th June, 2026

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે મિશ્ર પરંતુ સાવચેતીભર્યો માહોલ રહ્યો. શરૂઆતમાં વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકન બોન્ડ યીલ્ડના કારણે દબાણ હતું. જોકે, બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખરીદી વધતા સુધારો જોવા મળ્યો. અંતિમ દિવસોમાં નફાવસૂલી અને વિદેશી રોકાણકારોની સાવચેતીથી ઇન્ડેક્સ ટકી શક્યા નહીં. 'એક્સેન્ચર'ના રેવન્યુ ગ્રોથ અનુમાનમાં ઘટાડાના અહેવાલથી IT શેરોમાં વેચવાલીની સુનામી આવી, જેણે રોકાણકારોને મોટું નુકસાન પહોંચાડ્યું.