પાકિસ્તાનના રાષ્ટ્રપતિની ટિપ્પણી પર ભારતનો સણસણતો જવાબ, પોતાના દેશની સ્થિતિ જુઓ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિની ટિપ્પણી પર ભારતનો સણસણતો જવાબ, પોતાના દેશની સ્થિતિ જુઓ
Published on: 21st June, 2026

પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારીએ વારાણસીની મસ્જિદ અને ભારતમાં અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો અંગે પાયાવિહોણી ટિપ્પણી કરતા ભારતે આકરો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં દખલગીરી કરવી જોઈએ નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનની માનવાધિકારની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ત્યાં લઘુમતીઓ સામે ભેદભાવ અને હિંસાનો લાંબો ઈતિહાસ છે. આ પ્રકારની ટિપ્પણી રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવી રહી છે.