ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની રેસમાં ગુજરાતી દિગ્ગજ?
ટીમ ઈન્ડિયાના નવા ચીફ સિલેક્ટરની રેસમાં ગુજરાતી દિગ્ગજ?
Published on: 17th September, 2026

BCCI ના ચીફ સિલેક્ટર અજીત આગરકરનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે, અને તેમને એક્સટેન્શન મળવાની શક્યતા ઓછી છે. BCCI ની વાર્ષિક સામાન્ય સભા શુક્રવારે યોજાવાની છે, જ્યારે આગરકરે વેસ્ટ ઇન્ડીઝ સામેની વાઇટ-બૉલ સીરિઝ અને ઇરાની ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી હતી. તેમના કાર્યકાળમાં ભારતે T-20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ અને પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા નવા ચીફ સિલેક્ટરની રેસમાં સૌથી આગળ છે.