ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર
ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર
Published on: 16th September, 2026

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે એશિયન ગેમ્સ 2026 માંથી બહાર થઈ ગયા છે. અફઘાનિસ્તાન સામેની T20 મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ તેમને સાઇડ સ્ટ્રેઇનની સમસ્યા થઈ હતી. આ કારણે તેઓ ટીમમાંથી બહાર નીકળી ગયા છે. BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય લેગ-સ્પિનર વિપરાજ નિગમ તેમનું સ્થાન લઈ શકે છે. IPLમાં બે સિઝનનો અનુભવ ધરાવતા નિગમ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક છે. ભારતીય ટીમ 24 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલ મુકાબલાથી પોતાના એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત કરશે.