પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલનું સગાઈ બાદ બ્રેકઅપ
પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલનું સગાઈ બાદ બ્રેકઅપ
Published on: 17th September, 2026

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલએ પરસ્પર સંમતિથી પોતાના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે માર્ચમાં સગાઈ કરનાર આ જોડીના અલગ થવાની જાહેરાત આકૃતિએ પોતાના સોશિયલ મીડિયા પર કરી. તેણે સગાઈની તમામ તસવીરો હટાવી દીધી છે અને પૃથ્વી શૉને અનફોલો પણ કર્યો છે. બંનેના ભવિષ્યના લક્ષ્યો અને સંજોગો અલગ હોવાથી આ નિર્ણય લેવાયો છે. તેમણે પ્રાઇવસી જાળવવા અપીલ કરી છે.