બુમરાહની વાપસી, વિરાટ કોહલીની ફિટનેસ પર પ્રશ્નાર્થ
બુમરાહની વાપસી, વિરાટ કોહલીની ફિટનેસ પર પ્રશ્નાર્થ
Published on: 21st June, 2026

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સિરીઝ માટે BCCIએ 15 ખેલાડીઓની મજબૂત ભારતીય ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમ સિલેક્શનમાં સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે સ્ટાર બેટર વિરાટ કોહલીને સ્ક્વોડમાં સામેલ કરાયો છે, જોકે તેની પસંદગી તેની ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે. બીજી તરફ, ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની લાંબા સમય બાદ વનડે સેટઅપમાં વાપસી થઈ છે, જે ક્રિકેટ ફેન્સ માટે રાહતના સમાચાર છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેને સ્થાન મળ્યું નથી.