અજિત અગરકર અને ગંભીરથી ખુશ નથી BCCI?
અજિત અગરકર અને ગંભીરથી ખુશ નથી BCCI?
Published on: 18th July, 2026

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ પહેલા રોહિત શર્માની નિવૃત્તિની અફવાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ તમામ અફવાઓને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્માની આ છેલ્લી મેચ નથી. એવા અહેવાલો પણ છે કે BCCIના વરિષ્ઠ અધિકારીઓ ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીરથી ખુશ નથી, કારણ કે તેઓ રોહિત શર્માની નિવૃત્તિના મામલાને કઈ રીતે સંભાળી રહ્યા હતા. BCCIના સૈકિયાએ જણાવ્યું કે રોહિત શર્મા જ્યાં સુધી સ્કીમ ઑફ થિંગ્સમાં છે ત્યાં સુધી ભારત માટે રમતા રહેશે.