અરીસામાં ચહેરો સીધો, લખાણ ઊંધું કેમ?
અરીસામાં ચહેરો સીધો, લખાણ ઊંધું કેમ?
Published on: 25th July, 2026

આપણે રોજ અરીસાનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આપણો ચહેરો સીધો દેખાય છે. પરંતુ, કાગળ પર લખેલું લખાણ ઊંધું દેખાય છે. આનું કારણ ભૌતિક વિજ્ઞાનનો `પાર્શ્વ વ્યુત્ક્રમણ' (Lateral Inversion) નિયમ છે. અરીસો વસ્તુને આગળ-પાછળ ઉલટાવે છે, ડાબા-જમણા ભાગને બદલી નાખે છે. ચહેરાના ડાબા-જમણા ભાગ લગભગ સરખા હોવાથી તે સીધો લાગે છે. જ્યારે અક્ષરોના ડાબા-જમણા ભાગ અલગ હોવાથી તે ઊંધા દેખાય છે. આ એક રસપ્રદ વૈજ્ઞાનિક ઘટના છે.