ઈસરોના ૧૨૦ વૈજ્ઞાનિકોના રાજીનામા
ઈસરોના ૧૨૦ વૈજ્ઞાનિકોના રાજીનામા
Published on: 22nd July, 2026

છેલ્લા એક વર્ષમાં ઈસરોમાંથી ૧૨૦ જેટલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ રાજીનામાં આપ્યા છે, જેઓ હવે ભારતમાં વિકસી રહેલા સ્પેસ સ્ટાર્ટઅપમાં જોડાઈ રહ્યા છે. સ્કાયરૂટ એરોસ્પેસ જેવી કંપનીઓનું પ્રથમ ખાનગી રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થયું છે, જે અવકાશ સંશોધનમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશનો સંકેત આપે છે. આ સ્ટાર્ટઅપ્સને નિષ્ણાત કર્મચારીઓની જરૂર છે, જેના કારણે ઈસરોના અનુભવી વૈજ્ઞાનિકોનું આકર્ષણ વધી રહ્યું છે. આગામી સમયમાં અવકાશ વિજ્ઞાન રોજગારી અને ઉદ્યોગ સાહસિકો માટે અનેક તકો પૂરી પાડશે, જેનાથી દેશનું અવકાશી અર્થતંત્ર વિસ્તરશે.