ભારતીય સંશોધક ગૌરવ આહુજાએ વિકસાવ્યું કેન્સરના મૂળ કારણ શોધતું AI પ્લેટફોર્મ
ભારતીય સંશોધક ગૌરવ આહુજાએ વિકસાવ્યું કેન્સરના મૂળ કારણ શોધતું AI પ્લેટફોર્મ
Published on: 21st August, 2026

દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ ઈન્ફોર્મેશન-ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના પ્રોફેસર ગૌરવ આહુજાએ કેન્સર થવાના મૂળ કારણોની તપાસ કરતું groundbreaking AI પ્લેટફોર્મ 'MultiAIVerse' વિકસાવ્યું છે. આ ટેકનોલોજી દર્દીઓના DNA અને શરીરના વિવિધ ફેક્ટર્સનું વિશ્લેષણ કરીને કેન્સર પાછળના ચોક્કસ કારણો શોધી કાઢે છે, જે ભવિષ્યમાં રોગ અટકાવવામાં અને સારવાર પદ્ધતિ સુધારવામાં મદદરૂપ થશે. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ ChemInformatics માં પ્રકાશિત થયું છે અને તેને વિશ્વનું પ્રથમ AI પ્લેટફોર્મ ગણાવવામાં આવ્યું છે.