અવકાશી યુદ્ધ: ટેક્નોલોજીના અવિચારી ઉપયોગનું ભયાનક પરિણામ.
અવકાશી યુદ્ધ: ટેક્નોલોજીના અવિચારી ઉપયોગનું ભયાનક પરિણામ.
Published on: 05th May, 2026

છેલ્લાં ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરવાની ટેક્નોલોજી કેટલાક દેશો દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે જ આ ભય તરફ દુનિયાની નજર જઈ રહી છે. અવકાશમાં જે યુદ્ધ થશે તેની અસર વ્યાપક અને દુરોગામી હશે. માત્ર એક સેટેલાઈટ તોડી પાડવામાં આવે તો તે માત્ર સાધન તોડી પાડવા જેવું નથી. જો ઉપગ્રહો તોડી પાડવામાં આવશે તો તેનો કાટમાળ અવકાશમાં જ અત્યંત ઝડપથી ફર્યા કરશે અને તેની ભ્રમણકક્ષામાં આવનારા અન્ય ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડશે. આ એક એવું વિષચક્ર છે જે શરૂ થયા બાદ ક્યારેય અટકશે નહીં.