ઈસરોના ૧૦૦ થી વધુ વૈજ્ઞાનિકોએ નોકરી છોડી
ઈસરોના ૧૦૦ થી વધુ વૈજ્ઞાનિકોએ નોકરી છોડી
Published on: 18th July, 2026

ચંદ્રયાન-3 અને ગગનયાન જેવા મહત્વપૂર્ણ મિશનો પર કામ કરી રહેલા ઈસરોના ૧૦૦ થી વધુ વૈજ્ઞાનિકોએ અચાનક નોકરી છોડી દીધી છે. આ વૈજ્ઞાનિકો ઊંચા પગાર અને સારો હોદ્દો મળતાં સ્પેસ-સંબંધિત સ્ટાર્ટ-અપ્સમાં જોડાઈ રહ્યા છે. ખાનગી કંપનીઓમાં વધુ ફ્લેક્સિબિલિટી, ઝડપી કાર્યમાહોલ અને આકર્ષક પેકેજ આ વૈજ્ઞાનિકોને પોતાની તરફ ખેંચી રહ્યા છે. આનાથી ભારતના ભવિષ્યના અવકાશ મિશનોમાં વિલંબ થઈ શકે છે અથવા તેની સફળતા પર પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે.