ભરૂચથી નીકળેલી સમરસ કાવડ યાત્રાનું જંબુસરમાં ભવ્ય સ્વાગત
ભરૂચથી નીકળેલી સમરસ કાવડ યાત્રાનું જંબુસરમાં ભવ્ય સ્વાગત
Published on: 01st September, 2026

ભગવાન ભોળાનાથ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમાજમાં સમરસતાનો સંદેશ લઈને ભરૂચથી નીકળેલી સમરસ કાવડ યાત્રાનું જંબુસર શહેરમાં ભવ્ય અને ભાવપૂર્ણ સ્વાગત કરાયું. કાવડિયાઓના આગમન સાથે જ 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના જયઘોષથી સમગ્ર શહેર શિવમય બન્યું. મોટી સંખ્યામાં શિવભક્તોના સ્વાગત માટે ઉમટી પડતાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાએ કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ તરફ પ્રયાણ કર્યું.