અમદાવાદના વૃંદાવન-6 બંગ્લોઝમાં ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ
અમદાવાદના વૃંદાવન-6 બંગ્લોઝમાં ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ
Published on: 17th September, 2026

વૃંદાવન-6 બંગ્લોઝ, સોલા ભાગવત ખાતે 16 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ ઉત્સાહભેર ઉજવાયો. સભ્યો લીલા રંગના ડ્રેસ કોડમાં સજ્જ હતા અને મહિલાઓએ સાથે મળીને રીલ બનાવી. બાળકોએ મોટર અને પેપર ડીશનો ઉપયોગ કરીને ગોળ ફરતું ગણેશ ચક્ર બનાવ્યું. આ દિવસે સવારે અને રાત્રે ગણેશ આરતી, હનુમાન ચાલીસા અને સત્યનારાયણની કથાનું પણ આયોજન થયું. ગ્રીન ગણેશોત્સવની થીમ જાળવી રાખવામાં આવી. આવતા વર્ષે પણ બાળકોને પ્રોત્સાહન અપાશે.